Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

SANT NIVAS BHOOMI POOJAN – SGVP RIBDA, RAJKOT 2024

નૂતન સંત નિવાસનું ભૂમિ પૂજન – SGVP રીબડા, રાજકોટ

SGVP – રીબડા, રાજકોટ શાખા પ્રારંભ થયાથી છ વર્ષમાં સ્કૂલ, હોસ્ટેલ, પ્રાર્થના મંદિર, આઉટ ડોર પ્લે ગ્રાઉન્ડસ, ઇન ડોર ગેમ્સ, ગૌશાળા, ઉપરાંત અનેકવિધ ધાર્મિક, સામાજિક પ્રવૃત્તિઓનો લાભ સમાજના દરેક સ્તરે જરૂરિયાતમંદ લોકો સુધી સારી રીતે પહોંચી રહ્યો છે.

પરંતુ હજી સુધી કાર્યકર્તા સંતો માટે સંત નિવાસની વ્યવસ્થા બાકી છે. સેવા પ્રવૃત્તિઓના વધતાં વ્યાપ સાથે જરૂરી અનુકૂળતા સાથેના સંત નિવાસની આવશ્યકતા હોવાથી પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે નૂતન ‘ગુણાતીત સંત નિવાસ’નું નિર્માણ કરવાનું આયોજન થયું.

તા. ૧૩ એપ્રિલ, ૨૦૨૪, ચૈત્ર સુદ પંચમીના રોજ, વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે, સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને સંતો હરિભક્તોની ઉપસ્થિતિમાં નૂતન ‘ગુણાતીત સંત નિવાસ’ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું.

ઠાકોરજીનું રસોડું, સંત ભોજનાલય, સંત નિવાસ નિર્માણ કાર્યમાં સેવ કરવા માટે 98790 00955 તથા 97277 07073 નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી.

Achieved

Category

Tags