Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Prayer for victims of Balasore, Odisha Rail Way Disaster – 2023

Photo Gallery

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) અમદાવાદના અધ્યક્ષ ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સંતમંડળ સાથે હાલ યુ.કે.ની યાત્રાએ છે. આ યાત્રા દરમિયાન લંડન શહેરના કેન્ટન-હેરો વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 05 જૂન ૨૦૨૩, રવિવારના રોજ પ્રાર્થના સભાનું આયોજન થયું હતું. આ સભામાં ઓડિસાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં દિવંગત થયેલા આત્માઓને યાદ કરીને ધૂન-ભજન તથા પ્રાર્થના કરવામાં આવી હતી. પ્રાર્થના સભામાં પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, ઓડિસા ખાતે બનેલી ગોઝારી દુર્ઘટનામાં દિવંગત થયેલા આત્માઓને ભગવાન શ્રીહરિ શાંતિ અર્પે તથા એમના સ્વજનોને ધીરજ અર્પે એવી પ્રાર્થના કરીએ. આ સભામાં મોટી સંખ્યામાં લંડનમાં નિવાસ કરતા ભક્તજનોએ હાજરી આપી હતી. SGVP, અમદાવાદ ખાતે રવિવારની સુહૃદ્ સભામાં પણ સંતો અને મોટી સંખ્યાં ઉપસ્થિત હરિભક્તો અને વિદ્યાર્થીઓએ ધૂન અને પ્રાર્થના કરી દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. SGVPના તમામ શાખા ગુરુકુલોમાં પણ આ દુ:ખદ પ્રસંગે ધૂન અને પ્રાર્થના કરવામાં આવી હતી

Achieved

Category

Tags