Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Murti Pratishtha Mahotsav – Pipalava (Gir)

ખાંભા વિસ્તારના નાનકડા પીપળવા (ગીર) ગામમાં પરમ પૂજ્ય સદ્‌ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી ભગવાન શ્રી સ્વામિનારાયણનું નૂતન મંદિર તૈયાર થયું. એ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ૮ થી ૧૦ મે, ૨૦૧૮ દરમિયાન ઉજવાયો હતો. આ પ્રસંગે નાના સંતોએ શ્રીમદ્‌ સત્સંગીજીવનની કથાનું શ્રવણ કરાવ્યું હતું તથા પરમ પૂજ્ય પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ મહારાજનાં લીલાચિત્રોની કથા સંભળાવી હતી. તારીખ ૧૦ ના રોજ વડતાલથી પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજે પધારી ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી આરતી ઊતારી હતી તથા પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી  સ્વામી તથા પરમ પૂજ્ય સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી વગેરે સંતોએ ભક્તજનોને  શુભાશીર્વાદ પાઠવ્યા હતા.

 

Achieved

Category

Tags