Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Meeting with Kashmir Governor 2023

photo gallery

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના પાવન સાનિધ્યમાં દેશ વિદેશના હરિભક્તો દ્વારા કાશ્મીરના તીર્થસ્થાનોની યાત્રાનું આયોજન થયું. આ યાત્રા દરમિયાન સ્વામીશ્રીએ ખાસ કાશ્મીર રાજભવનમાં મહામહીમ રાજ્યપાલશ્રી મનોજ સિન્હાજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન પૂજ્ય સ્વામીજી તથા રાજ્યપાલશ્રી વચ્ચે કાશ્મીરની પ્રગતિ વિશે ચર્ચા થઈ હતી. પૂજ્ય સ્વામીજીએ જમ્મુ-કાશ્મીરની પ્રાચ્ય જ્ઞાનપરંપરાને આગળ ધપાવવા વર્તમાન સરકાર દ્વારા થતા પ્રયત્નોને બિરદાવ્યા હતા. અમરનાથની યાત્રાએ આવતા વિશ્વભરના યાત્રીઓ માટે સુરક્ષા-સુવિધાઓ અંગે પણ ચર્ચા થઈ હતી.

 

આ પ્રસંગે પૂજ્ય સ્વામીજી સાથે અભિષેક ઉપાધ્યાય, રામસુખદાસજી સ્વામી, ભક્તવત્સલદાસજી સ્વામી, વિશ્વમંગલદાસજી સ્વામી, કાનજીભાઈ પટેલ, રવજીભાઈ હિરાણી, દેવશીભાઈ વરસાણી તથા અશ્વિન પટેલ વગેરે પણ જોડાયા હતા.

Achieved

Category

Tags