Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Covid-19 vaccination to 400 Seniors – 2021

Photo Gallery

કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન પ્રમાણે, SGVP હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં SGVP ગુરુકુલ પરિવારના ગુરુસ્થાને વિરાજમાન ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પાર્ષદ શ્રી કનુભગતને SGVP હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે બનાવવામાં આવેલ વેક્સિનેશન સેન્ટર ખાતે વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ.

આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ જનતાને અપિલ કરતા જણાવ્યું હતું કે, સરકારી ગાઇડ લાઇન પ્રમાણે વેક્સિનેશન ક્રાઇટેરિયા (માપદંડ) માં આવતા હોય તે લોકોએ કોઇ પણ જાતનો ડર કે શંકા કુશંકા રાખ્યા વિના પોતે તેમજ પોતાના પરિવાર જનોને કોરોનાથી સુરક્ષિત કરવા વેક્સિન લેવી જોઇએ, શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે રોગાદિક આપદાઓમાં પોતાની અને બીજાની રક્ષા થાય તેમ વર્તવું. ગુજરાતના તમામ હરિભકતો અને ગુજરાતની તમામ જનતાને અપીલ કરીએ છીએ કે રાજી ખુશીથી વહેલી તકે વેક્સિન લે.

Achieved

Category

Tags