Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Swachchhata Abhiyan Memnagar 2022

Photo Gallery

આફ્રિકા સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહેલ ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે મહાત્મા ગાંધીજીના જન્મદિન-ગાંધી જયંતીના દિને તા. ૦૨ ઓક્ટોબર, ૨૦૨૨ રવિવારે સવારે ૭-૩૦ થી ૧૨ વાગ્યા સુધી, મેમનગર વિસ્તાર- ગુરુકુલ રોડ, આજુબાજુ વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ, મેમનગર દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. આ સ્વચ્છતા અભિયાનમાં મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓ, એસજીવીપી હોસ્ટેલના વિદ્યાર્થીઓ, તથા દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો ઉપરાંત બાપુનગર, મેમનગર સત્સંગ મંડળના સ્વયંસેવકો, સહિત ગુરુકુલના સંતો જોડાયા હતા. એકઠા થયેલ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. અને સમગ્ર વિસ્તાર આભલા જેવો સ્વચ્છ કરી નાંખ્યો હતો. આ પ્રસંગે ખાસ કોઠારી શ્રી ધર્મનંદદાસજી સ્વામી, કોઠારી શ્રી મુકતસ્વરુપદાસજી સ્વામી, અમદાવાદ ટાઉન પ્લાનીંગ ચેરમેન શ્રી દેવાંગભાઇ દાણી, વરીષ્ઠ કોર્પોરેટર શ્રી કાંતિભાઇ પટેલ, શ્રી ચંદુભાઇ પટેલ થલતેજ વોર્ડ ભાજપ પ્રમુખ, શ્રી કાળુભાઇ પટેલ પૂર્વ પ્રમુખ ભાજપ, વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાનમાં હાથમાં સાવરણો લઇ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.

Achieved

Category

Tags