Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

સફાઈ અભિયાન : ૦૨ ઓક્ટોબર ૨૦૧૬, ગાંધી જયંતી

With the inspiration of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami and under the guidance of Pujya Purani Shree Balkrishnadasji Swami – students, devotees and Saints organized the Cleaning campaign in the surrounding area of Shree Swaminarayan Gurukul, Ahmedabad.
અમેરિકા સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહેલ સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે, મહાત્મા ગાંધીજીના જન્મદિન – ગાંધી જયંતીના દિને રવિવારે સવારે મેમનગર વિસ્તાર, ગુરુકુલ રોડ, વિજય ચાર રસ્તા અને ડ્રાઇવ ઇન રોડ તેમજ મેમનગર આજુબાજુ વિસ્તારમાં, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો

આ સ્વચ્છતા અભિયાનમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદના વિદ્યાર્થીઓ, એસજીવીપી હોસ્ટેલના વિદ્યાર્થીઓ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો તેમજ ગુરુકુલ પરિવાર સત્સંગ મંડળ સભ્યો સહિત ગુરુકુલના સંતો જોડાયા હતા. જોતજોતામાંતો આખો વિસ્તાર આભલા જેવો ચોકખો કરી નાંખ્યો હતો અને ૧૫ ટ્રેકટર ટ્રોલી જેટલા કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કર્યો હતો.
                આ પ્રસંગે ખાસ અમદાવાદ મ્યુનીસીપલ કમિશ્નર શ્રી દિનેશભાઇ દેસાઇ, તેજસભાઇ પટેલ, ઔડા ચેરમેન શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભૂપેન્દ્રભાઇ શાહ, કાંતિભાઇ પટેલ, મહેતાભાઇ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.

 

Achieved

Category

Tags