Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

ફલકુટોત્સવ – ગુરુકુલ દ્રોણેશ્વર

નૂતન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વરના પટાંગણમાં શ્રી કષ્ટભંજન દેવ મંદિર, મારુતિ ધામમાં, સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ચૈત્રી અમાસ શનિવાર તા. ૧૮ એપ્રિલ ૨૦૧૫ના રોજ કષ્ટભંજનદેવ હનુમાજી મહારાજનું વૈદિક વિધિ સાથે ષોડશોપચાર પૂજન બાદ ૬૦૦ કિલો ઉપરાંત ફળોનો ફલકુટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ હનુમાનજી મહારાજની આરતિ ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા. આ પ્રસંગે ફાટસર, ઇંટવાયા, જરગલી, દ્રોણ, ગીરગઢડા, ખીલાવડ, વડવિયાળા, જુના-નવા ઉગલા વગેરે અનેક ગામોના ભાઇઓ -બહેનો માટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રસાદી રુપ તમામ ફળો ઉના હોસ્પિટલ તેમજ અન્ય વસાહતી ગરીબોને વહેંચવામાં આવ્યા હતા.
Picture Gallery
 

 

Achieved

Category

Tags