Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ

શ્રાવણ વદ ચૌદશ, તા. ૧૬ ઓગષ્ટ, ૨૦૧૨ – પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ ગુરુકુળ પરિવાર દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ ખાતે દિવસ દરમ્યાન ધૂન-ભજન અને મંત્ર-લેખન કરવામાં આવ્યું હતું. પૂજ્ય બાલકૃષ્ણ દાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ સવારે મંત્ર લેખન, બપોરે મહિલા મંડળ દ્વારા ધૂન અને સાંજે સંતો, વિદ્યાર્થીઓ સાથે મોટી સંખ્યામાં હરિભક્તોએ સમૂહ ધૂન કરી હતી. સાંજે ગુણાનુવાદ સભામાં ઠાકોરજીના પંચોપચાર પૂજન અને પૂજ્ય જોગી સ્વામીજીના પૂજન બાદ, સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પૂજ્ય જોગી સ્વામીજીના દિવ્ય પ્રસંગો વર્ણવ્યા હતા. પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ પણ પૂજ્ય જોગી સ્વામીજીના જીવનની દિવ્યતાની વાતો કરી હતી.
Picture Gallery
 

 

Achieved

Category

Tags