Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Parivar Sneh Milan, Shakotsav Ribda Gurukul 2022

Photo Gallery

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી પરમપૂજ્ય પુરાણી શ્રીબાલકૃષ્ણસ્વામીના સાનિધ્યમાં એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે SGVP રાજકોટનો પરિવાર મિલન સમારોહ તથા શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુરુકુલના માનવંતા ટ્રસ્ટી શ્રી નવીનભાઈ દવેના યજમાન પદે આયોજિત આ પરિવાર સ્નેહ મિલન અને શાકોત્સવ સમારોહમાં પૂજ્ય સ્વામીજીએ શાકોત્સવ પ્રસંગે પરિવારના સ્નેહ મિલનની આવશ્યકતા સમજાવી હતી.

રાજકોટ ઉપરાંત રીબ, રીબડા, ગુંદાસરા, વાવડી, મવડી વગેરે ગામોમાંથી ૪૦૦૦ થી વધુ હરિભક્તોએ લાભ લીધો હતો. આ સ્નેહ મિલનમાં મુંબઈથી શ્રી ગોપાલભાઈ દવે, શ્રી મધુભાઈ દોંગા (ટ્રસ્ટી શ્રી), શ્રી ચંદુભાઈ વિરાણી (બાલાજી વેફર્સ), શ્રી રવજીભાઈ હીરાણી (યુકે) વગેરેની વિશેષ ઉપસ્થિતી રહી હતી. તથા રીબડા, શાપર, પડવલા, મેટોડા વગેરે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદેદારો હાજર રહ્યા હતા.

Achieved

Category

Tags