Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

પધરામણી પર્વ અને સત્સંગ સભા, સુરત, 2012

સુરત નિવાસી ભક્તજનો તથા ભૂતપુર્વ વિદ્યાર્થીઓના પ્રેમભીના આગ્રહને માન આપીને તા. ૯ થી૧૨ મે,૨૦૧૨ દરમ્યાન સુરતના અનેક વિસ્તારોમાં પધરામણી પર્વનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સદ્ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સદ્ગુરુ પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામી વગેરે સંતોએ સંતમંડળ સાથે ભક્તજનોના નિવાસ સ્થાને ઠાકોરજી સાથે પધારીને ભક્તજનોના હૃદયની ભાવના પૂર્ણ કરી હતી.આ પધરામણી પર્વના અંતિમ દિને પરમપૂજય સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પધારીને સ્નેહમિલન સત્સંગ સભામાં ભક્તજનોના હૃદયમાં ભક્તિની અભિવૃદ્ધિ થાય તેવી સુંદર કથાવાર્તા કરી હતી. આ સભામાં સુરત વિસ્તારના અનેક અગ્રણી મહાનુભાવો તથા વિશાળ સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહીને સત્સંગ કથાનો લાભ લીધો હતો. આ સમસ્ત કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવારના ઉત્સાહી યુવાનો, સુહૃદય મિત્ર મંડળ તથા સહજાનંદ બંગ્લોઝ પરીવારે ખુબ જ સારો સહયોગ આપ્યો હતો.

Achieved

Category

Tags