Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

કૃપાવર્ષા મહોત્સવ, છતેડી, બળદીયા કચ્છ

અનાદી મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રી સ્થાપિત શ્રી હરિ ચરણારવિંદ શતાબ્દી નિમિત્તે કચ્છમાં બળદીયા ગામે તા. ૨૯ અપ્રિલ – ૦૫ મે ૨૦૧૫ દરમ્યાન ‘કૃપાવર્ષા મહોત્સવ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં વચનામૃત પારાયણના વક્તા પદે સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા સદ્‌ગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી (કંડારી ગુરુકુલ) એ કથાવાર્તાનો લાભ આપ્યો હતો. તેમજ ધામ ધામથી પધારેલા પૂજ્ય સંતોએ વ્યાખ્યાન માળામાં કથાવાર્તા અને આશીર્વચનનો લાભ આપ્યો હતો. દેશ-વિદેશના હરિભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ મહોત્સવનો દિવ્ય લાભ લીધો હતો. મહોત્સવ ના ઉપલક્ષ્યમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રના ૧૧,૧૧,૧૧,૧૧૧ જાપ, ૧,૧૧,૫૦૦ કલાક ધૂન, ત્રણ વાર છપૈયા પદયાત્રા, છ ધામ પદયાત્રા, મહાપૂજા, સત્સંગ સભાઓ, વ્યસન-મુક્તિ વગેરે ધાર્મિક સામાજિક આયોજનો કરવામાં આવ્યા હતા.
Picture Gallery

 

Achieved

Category

Tags