Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Aamrakut Utsav Memnagar 2023

Video

Photo Gallery

અત્યારે જ્યારે કેરીની સીઝન ચાલી રહી છે, સૌ કોઈ કેરીનો આસ્વાદ લેતા હોય, ત્યારે ગરીબ અને મજૂર વર્ગના બાળકો, વૃદ્ધાશ્રમ અને અનાથાલયના બાળકોને પણ પ્રભુના પ્રસાદ રૂપે સારી કેરી ખાવા મળે અને સર્વના હૃદયમાં રહેલ સર્વેશ્વર રાજી થાય એવા શુભાશયથી, સત્સંગ પ્રચારાર્થે વિેદેશમાં વિચરણ કરી રહેલ પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગરમાં શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નીલકંઠ વર્ણી સમક્ષ કચ્છ, દ્રોણેશ્વરથી આવેલ તેમજ અન્ય હરિભકતો દ્વારા આવેલ ૧૦,૦૦૦ કિલો ઉપરાંત કેસર કેરીઓનો આમ્રકૂટ ધરાવવામાં આવ્યો હતો.

સંતો સાથે એસજીવીપી ગુરુકુલ પરિવારના સ્વયંસેવકો દ્વારા તમામ કેરીઓ હોસ્પિટલોમાં, મજૂર વર્ગમાં અને જરૂરિયાતમંદ લોકોમાં જાતે જઈને વહેંચવામાં આવી હતી.

Achieved

Category

Tags