Shreemad Bhagawat Katha - Ambada
Posted by NS on Tuesday, 24 April 2018
શ્રીમદ્ ભાગવત કથા – અંબાડા
ગીર-ગઢડા પાસેના અંબાડા ગામના આંગણે વાત્સલ્યમૂર્તિ પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીની પુણ્યસ્મૃતિમાં તા. ૧૮ થી ૨૪ એપ્રિલ, ૨૦૧૮ દરમ્યાન સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસપદે તથા લુંભાતા પરિવાર તેમજ કિડેચા પરિવારના પિતૃઓના મોક્ષાથે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી ઉપરાંત અન્ય ધર્મસ્થાનોથી પૂજ્ય સંતોએ ઉપસ્થિત રહી દર્શન – આશીર્વાદનો લાભ આપ્યો હતો.
કથા પ્રારંભમાં પોથી યાત્રા તેમજ કથા દરમ્યાન વિવિધ ઉત્સવો ભક્તિભાવથી ઉજવવામાં આવ્યા હતા. કથા રાત્રીના સમયે ગુરુકુલ દ્રોણેશ્વર તથા ગુરુકુલ અમદાવાદના વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો.
image:

Latest News
15-Feb-2019 | Homage to martyred of Pulwama |
10-Feb-2019 | Annakut Distribution - 2019 |
10-Feb-2019 | Annual Pratishtha Utsav – 2019 |
26-Jan-2019 | Educational help to Martyrs’ family -2019 |
26-Jan-2019 | Republic Day Celebration 2019 |
14-Jan-2019 | Dhanur Maas 2018-19 |
7-Jan-2019 | Falkut and fruit distribution |
2-Jan-2019 | Social visits |
1-Jan-2019 | Sai Makarand Parva |
30-Dec-2018 | Sneh Milan - 2018 |
Add new comment