Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Prayers for those affected in the Rajkot Gamezone disaster

રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં અસરગ્રસ્તો માટે પ્રાર્થના

રાજકોટમાં એક ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગમાં અનેક જિંદગીઓ હોમાઈ ગઈ. કેટલાય પરિવારો ઉપર દુઃખના ડુંગરા ટૂટી પડ્યા. માતા-પિતા સંતાન વિહોણા થયા. આ ઘટનાથી દરેકના હૃદયને ભારે આઘાત પહોંચ્યો છે.

ત્યારે અમેરિકા સત્સગ પ્રચારાર્થે વિચરણ કરી રહેલ ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ સદ્ગત જીવાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે ભગવાન શ્રીહરિ આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા જીવાત્માઓને શાશ્વત સુખ આપે. એમના પરિવારજનોને આવેલા દુઃખને સહન કરવાની ધીરજ અર્પે એવી સમગ્ર SGVP ગુરુકુલ પરિવાર પ્રાર્થના કરે છે.

સંતમંડળ તથા વિદ્યાર્થીઓ-હરિભક્તો ધૂન-ભજન કરી પ્રાર્થનામાં જોડાયા હતા અને સર્વ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તથા ગુરુકુલના બાળકોએ ભગવાન સમક્ષ દીપ પ્રગટાવી પ્રાર્થના કરી હતી.

Achieved

Category

Tags