Aamrotsav - 2022
Posted by news on Saturday, 11 June 2022જૂન – ૨૦૨૨, અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે પરંતુ આ વર્ષે ઓછા પાકને લીધે કેરીઓના ભાવ આસમાને છે.
જૂન – ૨૦૨૨, અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે પરંતુ આ વર્ષે ઓછા પાકને લીધે કેરીઓના ભાવ આસમાને છે.
પવિત્ર કાર્તિક માસમાં, મેમનગર શ્રી સ્વામિનારાયમણ ગુરુકુલ અમદાવાદ મેમનગર ખાતે, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે, ૧૫૦૦ કિલો દાડમ શ્રી ઘનશ્યામ મહારાજને ધરાવવામાં આવ્યા હતા. પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીએ આરતિ ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા.
પાટોત્સવ
શરદ પૂર્ણિમાના પવન પ્રસંગે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીમાં સંત નિવાસમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજનો ૨૧મો વાર્ષિક પાટોત્સવ આનંદ સભર ઉજવાયો હતો.
આ પ્રસંગે આજથી ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે જ્યારે અમદાવાદ પધારતા ત્યારે રસ્તામાં આવતી અડાલજ વાવમાં સંતો સહિત સ્નાન કરતા.
૨૪ જુલાઇ ૨૦૨૧, ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે, વહેલી સવારે SGVP ગુરુકુલની વિશાળ યજ્ઞશાળામાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં શુક્લયજુર્વેદ, કૃષ્ણયજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો અભ્યાસ કરતા નાના ઋષિકુમારોએ વૈદિક મંત્રોના ગાન સાથે, મહાકાય અજાનબાહુ વ્યાસ ભગવાનની મૂર્તિનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે ખાસ વિષ્ણુ યાગ રાખવામાં આવેલ.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ SGVP દ્વારા, ગુરુવર્ય પૂજ્ચ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી માર્ગદર્શન સાથે વરસ દરમ્યાન વિવિધ ધાર્મિક ઉત્સવો, સામાજિક સેવા કાર્યો થતા હોય છે.
રથ યાત્રાના પાવન દિવસે દર વર્ષે ગુરુકુલ દ્વારા અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વરસે કોરાના મહામારીના કારણે પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રા બંધ રાખેલ છે. તેને બદલે સરકારશ્રીના નિર્દેશ મુજબ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ મેમનગરમાં શ્રી જગન્નાથ ભગવાનનું પૂજન કરી SGVP છારોડી ગુરુકુલના પરિસરમાં રથમાં જગન્નાથ ભગવાન, બળદેવજી અને સુભદ્રાબેનને પધરાવી વિદ્વાન શ્રી રામપ્રિયજી અને પ્રધાનચાર્ય અર્જુનાચાર્યજી તથા લક્ષ્મીનારાયાણજીએ મંત્રગાન સાથે પૂજન કરાવ્યુ હતું અને ત્યારબાદ છારોડી ગુરુકુલ પરિસરમાં જ રથયાત્રા રુપે ફરી હતી.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી રીબડા ખાતે, પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અને શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે, વર્ષ દરમ્યાન વિવિધ ધાર્મિક, સામાજિક સેવા કાર્યો થતા હોય છે.
જેમાં આમ્રકુટોત્સવ, અનાથાશ્રમમાં ગરીબોને સહાય, દિવ્યાંગ બાળકોને સહાય, ગ્રામ્ય વિસ્તારની શાળાઓના બાળકોને શિક્ષણ કીટ અર્પણ, ગાયોની સેવા, વગેરે સેવા પ્રવૃતિ થતી હોય છે.
માતૃદેવો ભવ તથા પિતૃદેવો ભવની સંસ્કૃતિની જન્મદાતા ભારતની ભૂમિ છે. ભારતના વતની ભાઈ-બહેનો વિશ્વમાં જ્યાં જ્યાં પહોંચ્યા ત્યાં પોતાની સંસ્કૃતિની સાથે પહોંચ્યા. જ્યોર્જીયા, સવાનાહમાં નિવાસ કરતા સેંકડો ભાઈ-બહેનોએ પોતાની ભારતીય સંસ્કૃતિને અનેક રીતે ધબકતી રાખી છે.
અમેરિકના સવાનાહ શહેરમાં આવેલ SGVP ગુરૂકુલ - અમેરીકા અંતર્ગત શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર ખાતે પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની મંગલ પ્રેરણાથી ‘મધર્સ ડે’ની ઉજવણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ‘માતૃ-પિતૃ વંદના’ દ્વારા કરવામાં આવી હતી.
ચૈત્ર સુદ પુનમ તા. ૨૭ એપ્રિલ ૨૦૨૧, હનુમાનજી મહારાજના જન્મદિન પર્વે SGVP ગુરુકુલ પરિસરમાં આવેલ હનુમાન ગઢી ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને અન્ય સંતોની ઉપસ્થિતિમાં હનુમાનજી મહારાજનું ષોડશોપચાર સાથે પૂજન કરી મારુતિ યજ્ઞ કર્યો હતો.
આ મારુતિ યજ્ઞમાં ઘી, તલ, સરસવ, આંકડો, પાયસ, વગેરે પંચદ્રવ્યોથી હનુમદ્ મંત્ર તથા હનુમાન માલા મંત્રથી અગ્નિનારાયણને ૧૦૮ આહુતિ આપવામાં આવી હતી. પૂજ્ય સ્વામીજીએ યજ્ઞાન્તે પૂર્ણાહૂતિની આરતિ ઉતારી હતી.
21-Jun-2022 | વિશ્વ યોગ દિવસ – 2022 |
12-Jun-2022 | 85 hours 'Akhand' Dhoon - 2022 |
11-Jun-2022 | Aamrotsav - 2022 |
5-Jun-2022 | શ્રી મહાવિષ્ણુ યાગ, લેસ્ટર, યુકે - 2022 |
4-Jun-2022 | સત્સંગ સભા - શ્રી હનુમાનજી મંદિર, લેસ્ટર, યુકે - 2022 |
8-May-2022 | શ્રીમદ્ સત્સંગિજીવન કથા, ગઢપુર - 2022 |
1-May-2022 | Footwear Distribution – 2022 |
27-Apr-2022 | ધર્મજીવન સત્ર - ગુણાનુવાદ સભા, રીબડા ગુરુકુલ - 2022 |
24-Apr-2022 | પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી : શ્રદ્ધાંજલિ સભા |
12-Apr-2022 | પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીનો અક્ષરવાસ |