Social

Free Wellness Center: SGVP Gurukul Ribda - 2023

SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) આયોજીત નિઃશુલ્ક આરોગ્ય કેન્દ્ર

પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા તથા પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીના હસ્તે તા ૧૨ માર્ચ ૨૦૨૩ ના રોજ નિઃશુલ્ક આરોગ્ય કેન્દ્રનો (Free Wellness Center) મંગલ શુભારંભ થયો.

Annakut Prasad Distribution,SGVP - 2023

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે વસંતપંચમી મહોત્સવ પ્રસંગે શિક્ષાપત્રી જયંતી અને રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજનો ૧૮મો પાટોત્સવ ઉજવાયો હતો.

પાટોત્સવ પ્રસંગે શ્રીરામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજને અભિષેક બાદ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીજીના માતુશ્રી હિરાબાને શ્રદ્ધાંજલિ

માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીજીના માતુશ્રી હિરાબાનો અક્ષરવાસ થયો છે. ત્યારે આફ્રિકામાં સત્સંગ વિચરણ કરી રહેલા SGVP ગુરુકુલ અમદાવાદના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીએ સત્સંગસભામાં હિરાબાને શ્રદ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે, પૂજનીય માતુશ્રી હિરાબાના અક્ષરવાસથી એક સુવર્ણ શતક પૂર્ણ થયું. એમની પવિત્ર આત્માને SGVP ગુરુકુલ પરિવાર શ્રદ્ધાસુમન અર્પણ કરે છે.

Pomegranate Falkut Distribution - 2022

On the holy month of Magashar and pious day of Mokshada Ekadashi, 04 Dec 2022, at SGVP Shree Swaminarayan Gurukul, under the inspiration of HH Guruvarya Shastri Shree Madhavapriyadasji Swami and HH Purani Shree Balakrishnadasji Swami, 3100 kg of fruits including 2100 kg of pomegranate and 1000 kg of other fruits were offered to Bhagwan Shree Rama, Shyam, and Ghanshyam Maharaj.

પાટોત્સવ, અન્નકુટ વિતરણ – ૨૦૨૨ ગુરુકુલ અમદાવાદ

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજનો ૨૭મો પાટોત્સવ આનંદસભર ઉજવાયો હતો.

પ્રસાદીભૂત અડાલજ વાવનું જળ, ગંગાજળ તેમજ વિવિધ તીર્થોના જળ, ઔષધિઓના રસ, ફળોના રસ, પંચામૃત, પંચગવ્ય, કેસર જળ વગેરેથી ઠાકોરજીને વૈદિક મંત્રોના ગાન સાથે અભિષેક કરવામાં આવેલ.

શ્રી ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ - 2022

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપીમાં સંત નિવાસમાં વિરાજિત શ્રી ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે તા. ૦૯ ઓક્ટોબર, ૨૦૨૨ શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મહાભિષેક તથા અન્નકૂટનું આયોજન થયું હતું.

સદાવ્રતનો પ્રારંભ @ SGVP ગુરુકુલ

શરદપૂર્ણિમાના પુનિત પર્વે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી અમદાવાદ દ્વારા સદાવ્રતનો શુભારંભ કરવામાં આવેલ છે.

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી આરંભ થયેલા સદાવ્રતમાં દરરોજ ૫૦૦ ઉપરાંત જરુરિયાતમંદ ગરીબોને ભોજન પીરસવામાં આવશે.

સ્વચ્છતા અભિયાન – ગુરુકુલ મેમનગર - 2022

આફ્રિકા સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહેલ ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે મહાત્મા ગાંધીજીના જન્મદિન-ગાંધી જયંતીના દિને તા. ૦૨ ઓક્ટોબર, ૨૦૨૨ રવિવારે સવારે ૭-૩૦ થી ૧૨ વાગ્યા સુધી, મેમનગર વિસ્તાર- ગુરુકુલ રોડ, આજુબાજુ વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ, મેમનગર દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.

Lumpy Skin Disease Medical Campaign SGVP Ribda - 2022

પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, એસજીવીપી SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) દ્વારા ગૌપ્રેમી દાતાઓના સહકારથી લમ્પી રોગથી દુઃખી ગૌમાતા અને ગૌવંશના બચાવ માટે મોબાઈલ પશુ દવાખાના સાથે ૧૫ સ્વયંસેવકો દ્વારા ૨૩ ગામોમાં ૬૨૬ અબોલ ગૌવંશની સારવાર થઈ.

Pages