Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Sarvamangal Seva Yagna – Ribda, Rajkot

Sarvamangal Seva Yagna Ribda Rajkot

ભારતીય પરંપરામાં અધ્યાત્મિક ઉન્નતિ અને દાન પુણ્ય દ્વારા માનવ સેવા અને જીવ દયાના પરોપકારી કર્યો માટે અધિક માસનો સવિશેષ મહિમા છે. આ વર્ષે અધિક આસો મહિનામાં (૧૮ સપ્ટેમ્બર થી ૧૬ ઑક્ટોબર, ૨૦૨૦), ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) દ્વારા સર્વમંગલ સેવા યજ્ઞ અંતર્ગત સંપૂર્ણ અધિક આસો માસ દરમ્યાન દરરોજ માનવ સેવા અને જીવ દયાના અવનવા આયોજનો કરવામાં આવ્યા હતા. શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગ દર્શનમાં કીડી જેવા નાના જીવોથી માંડીને પક્ષીઓ, ગાયો, કુતરાં વગેરે પશુઓ, વિદ્યાર્થીઓએ, બહેનો અને કામદાર વર્ગ સુધી સેવાની સરવાણી પહોંચાડવામાં આવી હતી. હરિભક્તોએ પણ ઉત્સાહ અને ભાવનાથી આ સર્વમંગલ સેવાયજ્ઞમાં સહયોગ આપી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત પ્રદેશના ગામડાંઓ અને શહેરોમાં જરૂરિયાતમંદો સુધી આ સેવાઓની સરવાણી પહોંચાડી હતી.

Achieved

Category

Tags