Ribda

પાટોત્સવ અને ભક્તિસત્ર – ૩ - 2022

SGVP ગુરુકુલ રીબડા(રાજકોટ) ખાતે લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજના તૃતીય પાટોત્સવ પ્રસંગે તા. ૨૯ નવેમ્બર થી ૦૩ ડિસેમ્બર, ૨૦૨૨ દરમ્યાન પંચદિનાત્મક તૃતીય ભક્તિસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરિવાર મિલન તથા શાકોત્સવ ગુરુકુલ (રીબડા) રાજકોટ - 2022

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી પરમપૂજ્ય પુરાણી શ્રીબાલકૃષ્ણસ્વામીના સાનિધ્યમાં એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે SGVP રાજકોટનો પરિવાર મિલન સમારોહ તથા શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુરુકુલના માનવંતા ટ્રસ્ટી શ્રી નવીનભાઈ દવેના યજમાન પદે આયોજિત આ પરિવાર સ્નેહ મિલન અને શાકોત્સવ સમારોહમાં પૂજ્ય સ્વામીજીએ શાકોત્સવ પ્રસંગે પરિવારના સ્નેહ મિલનની આવશ્યકતા સમજાવી હતી.

Lumpy Skin Disease Medical Campaign SGVP Ribda - 2022

પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, એસજીવીપી SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) દ્વારા ગૌપ્રેમી દાતાઓના સહકારથી લમ્પી રોગથી દુઃખી ગૌમાતા અને ગૌવંશના બચાવ માટે મોબાઈલ પશુ દવાખાના સાથે ૧૫ સ્વયંસેવકો દ્વારા ૨૩ ગામોમાં ૬૨૬ અબોલ ગૌવંશની સારવાર થઈ.

ગુરુપૂર્ણિમા મહોત્સવ ગુરુકુલ રીબડા(રાજકોટ) - 2022

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો.

શ્રીહરિયાગ અને ગુણાનુવાદ સભા – ગુરુકુલ રીબડા - 2022

શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે સદ્ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની સદ્વિદ્યા પ્રવર્તન અને સર્વજીવહિતાવહ પરોપકારી સેવા પ્રવૃત્તિઓમાં પૂજયપાદ બ્રહ્મનિષ્ઠ જોગી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય મુગટ સ્વામી શ્રી નિરાન્નમુક્તદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી જેવા અનેક સંતોએ જીવનભર સાથે આપી સત્સંગનું પોષણ કર્યું. ગુરુકુલ પરિવાર, સત્સંગ અને સમાજ તેમના આ ઋણને ક્યારેય ભૂલી ન શકે.

સર્વમંગલ યજ્ઞ અનુષ્ઠાન - 2022

પૃથ્વીને વિષે સદ્ વિદ્યાનું પ્રવર્તન કરાવવું એથી કોઇ મોટું પુણ્ય નથી - એ ભગવાન શ્રી સ્વામિનારાયણની સર્વજીવહિતાવહ આજ્ઞા પ્રમાણે શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાજી સ્વામીએ આજથી ૭૫ વર્ષ પૂર્વે ગુરુકુલ પરંપરાની સ્થાપના કરીને સમાજમાં મોટી ક્રાંતિ આણી છે.

ભજન પર્વ - 2022

સદ્વિદ્યાના માધ્યમથી અન્નદાન, વિદ્યાદાન અને અભયદાન આપનારા એવા શાસ્ત્રીજી મહારાજની ૩૪મી પુણ્યતિથિ નિમિત્તે એસજીવીપી ગુરુકુલ, છારોડી અને અમદાવાદ ગુરુકુલ, મેમનગર ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મહા વદ- એકાદશીથી મહા વદ બીજ તા. ૧૨ થી ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ સુધી સપ્તદિનાત્મક ભજન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.

73rd Republic Day Celebration - 2022

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) અમદાવાદ અને શાખા ગુરુકુલોમાં, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ૭૩માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.  ૨૬ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ વહેલી સવારે અમદાવાદ ખાતે પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીજીના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી

2nd Patotsav, Ribda – Rajkot - 2021

માગશર સુદ મોક્ષદા એકાદશી અને ગીતા જયંતીના પુનિત પર્વે, તા. ૧૪ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ SGVP ગુરુકુલ રિબડા (રાજકોટ) ખાતે શ્રીઘનશ્યામ મહારાજનો દ્વિતીય પાટોત્સવ ઉજવાયો હતો. વૈદિક મંત્રો સાથે ગંગાજળ, તમામ ઔષધિઓના રસ, ફળોના રસ, પંચગવ્ય વગેરેથી ઘનશ્યામ મહારાજનો વહેલી સવારે અભિષેક કરવામાં આવ્યો હતો.

Jambu Falkut - 2021

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી રીબડા ખાતે, પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી  માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અને શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે,  વર્ષ દરમ્યાન વિવિધ ધાર્મિક, સામાજિક સેવા કાર્યો થતા હોય છે.

જેમાં આમ્રકુટોત્સવ, અનાથાશ્રમમાં ગરીબોને સહાય, દિવ્યાંગ બાળકોને સહાય, ગ્રામ્ય વિસ્તારની શાળાઓના બાળકોને શિક્ષણ કીટ અર્પણ, ગાયોની સેવા, વગેરે સેવા પ્રવૃતિ થતી હોય છે.

Pages