ગુરુપૂર્ણિમા મહોત્સવ ગુરુકુલ રીબડા(રાજકોટ) - 2022
Posted by news on Saturday, 16 July 2022ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો.
ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો.
શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે સદ્ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની સદ્વિદ્યા પ્રવર્તન અને સર્વજીવહિતાવહ પરોપકારી સેવા પ્રવૃત્તિઓમાં પૂજયપાદ બ્રહ્મનિષ્ઠ જોગી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય મુગટ સ્વામી શ્રી નિરાન્નમુક્તદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી જેવા અનેક સંતોએ જીવનભર સાથે આપી સત્સંગનું પોષણ કર્યું. ગુરુકુલ પરિવાર, સત્સંગ અને સમાજ તેમના આ ઋણને ક્યારેય ભૂલી ન શકે.
સદ્વિદ્યાના માધ્યમથી અન્નદાન, વિદ્યાદાન અને અભયદાન આપનારા એવા શાસ્ત્રીજી મહારાજની ૩૪મી પુણ્યતિથિ નિમિત્તે એસજીવીપી ગુરુકુલ, છારોડી અને અમદાવાદ ગુરુકુલ, મેમનગર ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મહા વદ- એકાદશીથી મહા વદ બીજ તા. ૧૨ થી ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ સુધી સપ્તદિનાત્મક ભજન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદ અને શાખા ગુરુકુલોમાં, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ૭૩માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ૨૬ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ વહેલી સવારે અમદાવાદ ખાતે પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીજીના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી
માગશર સુદ મોક્ષદા એકાદશી અને ગીતા જયંતીના પુનિત પર્વે, તા. ૧૪ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ SGVP ગુરુકુલ રિબડા (રાજકોટ) ખાતે શ્રીઘનશ્યામ મહારાજનો દ્વિતીય પાટોત્સવ ઉજવાયો હતો. વૈદિક મંત્રો સાથે ગંગાજળ, તમામ ઔષધિઓના રસ, ફળોના રસ, પંચગવ્ય વગેરેથી ઘનશ્યામ મહારાજનો વહેલી સવારે અભિષેક કરવામાં આવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી રીબડા ખાતે, પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અને શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે, વર્ષ દરમ્યાન વિવિધ ધાર્મિક, સામાજિક સેવા કાર્યો થતા હોય છે.
જેમાં આમ્રકુટોત્સવ, અનાથાશ્રમમાં ગરીબોને સહાય, દિવ્યાંગ બાળકોને સહાય, ગ્રામ્ય વિસ્તારની શાળાઓના બાળકોને શિક્ષણ કીટ અર્પણ, ગાયોની સેવા, વગેરે સેવા પ્રવૃતિ થતી હોય છે.
દીપાવલી – નૂતન વર્ષ સંવત્ ૨૦૭૭ના શુભ દિવસોમાં, જરૂરિયાતમંદોને અન્નકૂટનો પ્રસાદ આપીને નવા વર્ષનું સ્વાગત કરવા માટે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સમાજના ગરીબ - મજૂર વર્ગને અને વૃદ્ધાશ્રમના વડીલોને અન્નકૂટના પ્રસાદ રૂપે મીઠાઇ અને ફરસાણ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન અને શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીની આગેવાની સાથે ગુરુકુલ પરિવારના સ્વયંસેવકોએ વૃદ્ધાશ્રમો, અનાથાલયો અને ગરીબ - મજૂર વર્ગને રૂબરૂ પ્રસાદનું વિતરણ કરીને તેમની શુભાશિષ મેળવી હતી.
ભારતીય પરંપરામાં અધ્યાત્મિક ઉન્નતિ અને દાન પુણ્ય દ્વારા માનવ સેવા અને જીવ દયાના પરોપકારી કર્યો માટે અધિક માસનો સવિશેષ મહિમા છે. આ વર્ષે અધિક આસો મહિનામાં (૧૮ સપ્ટેમ્બર થી ૧૬ ઑક્ટોબર, ૨૦૨૦), ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) દ્વારા સર્વમંગલ સેવા યજ્ઞ અંતર્ગત સંપૂર્ણ અધિક આસો માસ દરમ્યાન દરરોજ માનવ સેવા અને જીવ દયાના અવનવા આયોજનો કરવામાં આવ્યા હતા.
15-Aug-2022 | Azadi No Amrut Mahotsav - 2022 |
23-Jul-2022 | Smart Darshanam Opening - 2022 |
19-Jul-2022 | ગુરુવંદના પર્વ દ્રોણેશ્વર ગુરુકુલ - 2022 |
16-Jul-2022 | ગુરુપૂર્ણિમા મહોત્સવ ગુરુકુલ રીબડા(રાજકોટ) - 2022 |
15-Jul-2022 | વ્યાસ પૂજન SGVP - ૨૦૨૨ |
13-Jul-2022 | ગુરુ પૂર્ણિમા SGVP ૨૦૨૨ |
10-Jul-2022 | Hindu Lifestyle Seminar, London - 2022 |
6-Jul-2022 | શ્રીહરિયાગ અને ગુણાનુવાદ સભા – ગુરુકુલ રીબડા - 2022 |
1-Jul-2022 | Ratha Yatra - 2022 |
26-Jun-2022 | ઠાકર થાળી- London - 2022 |