Patriotism

Republic Day Celebration - 2023

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં પ્રજાસત્તાક પર્વ શાનદાર રીતે ઉજવવામાં હતું.

Azadi No Amrut Mahotsav - 2022

આપણો તિરંગો રાષ્ટ્રધ્વજ તો ભારતની આન, બાન અને શાન છે. જેમાં હજારો વીર નરનારીઓ, શહીદો, મહાપુરુષો અને સંત શક્તિની ગાથાઓ જોડાયેલ છે. આ રાષ્ટ્રધ્વજને એક એક તાંતણે કુરબાનીની કથાઓ લખાયેલ છે.

73rd Republic Day Celebration - 2022

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) અમદાવાદ અને શાખા ગુરુકુલોમાં, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ૭૩માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.  ૨૬ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ વહેલી સવારે અમદાવાદ ખાતે પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીજીના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી

Tribute to the Martyrs at Chhattisgarh - 2021

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લાના સરહદી વિસ્તારમાં ૦૩ એપ્રિલ ૨૦૨૧ શનિવારે સુરક્ષા દળો અને નકસલવાદીઓ વચ્ચેની અથડામણમાં ૨૨ જેટલા જવાનો શહીદ થયા અને ૩૧ જેટલા જવાનો જખ્મી થવાની દુ:ખદ ઘટના ઘટી, ત્યારે રાષ્ટ્રીય શોકની આ દુ:ખદ ઘડીએ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના આદેશથી આ શહીદ અને ઘાયલ થયેલ જવાનોના પરિવાર જનોને સાંત્વના અને ધીરજ મળી રહે તે માટે પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષણદાસજી સ્વામીના સાનિધ્યમાં સંતો દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ ખાતે પાવનકારી એક કલાક અખંડ ધૂન નું આયોજન કરવામાં આવ્યું હતું.

Independence Day Celebration - 2020

કોરોના મહામારી અને લોકડાઉનને કારણે SGVP ગુરુકુલમાં ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં માસ્ક, સેનેટાઇઝર અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે માત્ર સંસ્થામાં રહેતા સંતોની હાજરીમાં ૭૪ મું ૧૫ ઓગષ્ટનું આઝાદી પર્વ સાદાઇથી ઉજવાયું

Republic Day Ceremony - 2020

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVPના પ્રાંગણમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ ધ્વજવંદનની સાથે સાથે બાળકો દ્વારા દેશભક્તિના નૃત્યો, અંગ્રેજી, સંસ્કૃત તથા ગુજરાતી ભાષામાં પ્રવચન તથા પરેડ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Homage to Martyrs - 2019

The Hall of Fame at Leh (Ladakh), is made for the martyrs of Kargil. HH Swami Madhavpriyadasji and HH Bhikhu Sanghsenaji paid a tribute to the martyrs here. The local army officer welcomed Swamiji. Swamiji became ecstatic while paying homage at the martyr memorial with the chanting of Vedic songs. Swamiji said, "These brave soldiers have sacrificed their lives for the protection of Mother India, we can never repay their debt. Their sacrifice will be immortal in the heart of every Indian."

Independence Day Celebration - Ladakh - 2019

At Leh (Ladakh) 73rd Independence Day was celebrated in the holy presence of HH Swami Shree Madhavpriyadasji as a special guest.  This occasion of the First Independence Day celebration of the UT of Ladakh was also honored by HH Bhikkhu Sanghasena ji  (Mahabodhi International Meditation Centre – MIMC), Ladakhi council chairman Phunchok Wangyal, Shree Ram Madhavji (BJP secretary, J&K), Shree Jamyang Tsering Namgyal  (BJP MP J&K), many army officers and other prominent leaders.

Pages