Patotsav

પંચમ પાટોત્સવ – વીરપુર - 2023

ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા સદ્‌ગુરુ ગુણાતીતાનંદ સ્વામીની પ્રસન્નતા સાથે સાકાર થયેલ ધારી પાસેના વિરપુર ગામમાં આજથી પાંચ વર્ષ પહેલા બે મંદિરો નિર્માણ પામ્યા. ભાઈઓ તથા બહેનોનાં મંદિરનો ધામધૂમથી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. એ અવસરને પાંચ વર્ષ પૂર્ણ થતા સમસ્ત ગ્રામજનોએ શ્રી ઘનશ્યામ મહારાજનો પંચમ પાટોત્સવ તારીખ ૧૦ થી ૧૪ મે ૨૦૨૩ દરમિયાન ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો.

શ્રીમદ્‌ ભાગવત કથા – જૂનાગઢ - 2023

ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા ગુણાતીત સંત દ્વારા સોરઠની ધરતી ખૂબ પાવન થઈ છે. આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રાગટ્યભૂમિ જ ગરવા ગિરનારની ગોદ રહી છે. એમાં પણ જૂનાગઢ તો પુરાણું તીર્થ છે. અહીં સ્વયં શ્રીહરિએ સ્વહસ્તે રાધારમણદેવ, રણછોડ-ત્રિકમરાય, સિદ્ધેશ્વર મહાદેવ પધરાવી કલ્યાણનું સદાવ્રત ખોલ્યું છે. આવા પવિત્ર ધામને ૧૯૫ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે SGVP ગુરુકુલ પરિવાર દ્વારા ૧૯૫માં પાટોત્સવ નિમિત્તે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.

Shree Hanuman Jayanti and 4th Annual Patotsav - Savannah - 2023

શ્રી હનુમાન જયંતિ મહોત્સવ અને ચતુર્થ પાટોત્સવ

SGVP - અમદાવાદ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મના પ્રચાર પ્રસારાર્થે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી વિશ્વના અનેક દેશોમાં સતત વિચરણ કરતા રહે છે અને સનાતન સંસ્કૃતિનો પ્રચાર કરતા રહે છે.

Annakut Prasad Distribution,SGVP - 2023

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે વસંતપંચમી મહોત્સવ પ્રસંગે શિક્ષાપત્રી જયંતી અને રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજનો ૧૮મો પાટોત્સવ ઉજવાયો હતો.

પાટોત્સવ પ્રસંગે શ્રીરામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજને અભિષેક બાદ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

શ્રી રામ શ્યામ ઘનશ્યામ મહારાજ પાટોત્સવ - 2023

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે વસંતપંચમી મહોત્સવ પ્રસંગે ચતુર્વિધ કાર્યક્રમ - શિક્ષાપત્રી જયંતી, રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજનો ૧૮મો પાટોત્સવ, પ્રજાસત્તાક પર્વ અને શાકોત્સવ ઉજવાયો હતો. ગુરુકુલ પરંપરાનો સ્થાપના દિવસ અને સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી અને સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીના જન્મજયંતીના શુભ સંયોગથી વસંતપંચમી મહોત્સવ ગુરુકુલ પરિવાર માટે સવિશેષ મહત્ત્વનો બની રહે છે.

પાટોત્સવ અને ભક્તિસત્ર – ૩ - 2022

SGVP ગુરુકુલ રીબડા(રાજકોટ) ખાતે લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજના તૃતીય પાટોત્સવ પ્રસંગે તા. ૨૯ નવેમ્બર થી ૦૩ ડિસેમ્બર, ૨૦૨૨ દરમ્યાન પંચદિનાત્મક તૃતીય ભક્તિસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાટોત્સવ, અન્નકુટ વિતરણ – ૨૦૨૨ ગુરુકુલ અમદાવાદ

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજનો ૨૭મો પાટોત્સવ આનંદસભર ઉજવાયો હતો.

પ્રસાદીભૂત અડાલજ વાવનું જળ, ગંગાજળ તેમજ વિવિધ તીર્થોના જળ, ઔષધિઓના રસ, ફળોના રસ, પંચામૃત, પંચગવ્ય, કેસર જળ વગેરેથી ઠાકોરજીને વૈદિક મંત્રોના ગાન સાથે અભિષેક કરવામાં આવેલ.

શ્રી ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ - 2022

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપીમાં સંત નિવાસમાં વિરાજિત શ્રી ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે તા. ૦૯ ઓક્ટોબર, ૨૦૨૨ શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મહાભિષેક તથા અન્નકૂટનું આયોજન થયું હતું.

શ્રી રામ શ્યામ ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ - 2022

વસંત પંચમી, પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી દ્વારા ગુરુકુલ પરંપરાની સ્થાપનાનો દિવસ, SGVP ગુરુકુલ ખાતે શ્રી રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજનો પ્રતિષ્ઠા દિવસ.

2nd Patotsav, Ribda – Rajkot - 2021

માગશર સુદ મોક્ષદા એકાદશી અને ગીતા જયંતીના પુનિત પર્વે, તા. ૧૪ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ SGVP ગુરુકુલ રિબડા (રાજકોટ) ખાતે શ્રીઘનશ્યામ મહારાજનો દ્વિતીય પાટોત્સવ ઉજવાયો હતો. વૈદિક મંત્રો સાથે ગંગાજળ, તમામ ઔષધિઓના રસ, ફળોના રસ, પંચગવ્ય વગેરેથી ઘનશ્યામ મહારાજનો વહેલી સવારે અભિષેક કરવામાં આવ્યો હતો.

Pages