Medical

Divyang Seva Yagna : Prosthetic Legs Distribution - 2023

યજ્ઞ અનુષ્ઠાન પરાયણ અ.નિ.પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં SGVP હોલિસ્ટીક હોસ્પિટલ દ્વારા, પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં, પૂજ્ય સ્વામીજીના ૨૫૧ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓને કૃત્રિમ પગ (prosthetic legs) અર્પણ કરાવામાં આવ્યા હતા.

NABH accreditation to SGVP Holistic Hospital

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP અમદાવાદ દ્વારા સંચાલિત SGVP હોલિસ્ટિક હૉસ્પિટલમાં એલોપથી, આયુર્વેદ અને યોગનો સુભગ સંયોગ રચાયો છે. હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે એમની ઉત્તમ સારવાર થાય એ માટે ત્રણેય વિભાગના નિષ્ણાંતો દ્વારા યોગ્ય તપાસ થયા પછી સારવાર કરવામાં આવે છે.

Lumpy Skin Disease Medical Campaign SGVP Ribda - 2022

પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, એસજીવીપી SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) દ્વારા ગૌપ્રેમી દાતાઓના સહકારથી લમ્પી રોગથી દુઃખી ગૌમાતા અને ગૌવંશના બચાવ માટે મોબાઈલ પશુ દવાખાના સાથે ૧૫ સ્વયંસેવકો દ્વારા ૨૩ ગામોમાં ૬૨૬ અબોલ ગૌવંશની સારવાર થઈ.

Pulmonology Seminar - 2021

SGVP હોલિસ્ટીક હોસ્પિટલમાં યોજાયો પલ્મોનોલોજી સેમિનાર

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) દ્વારા માનવસેવાનાં અનેક સેવાકાર્ય થઇ રહ્યાં છે. દર્દીનારાયણની સેવા થાય તે માટે SGVP કેમ્પસમાં શ્રી જોગી સ્વામી SGVP હોલિસ્ટીક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં એલોપથી, આયુર્વેદ અને યોગના સમન્વયથી દર્દીઓની સારવાર થઇ રહી છે. SGVP હોલિસ્ટીક હોસ્પિટલમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા દર્દીઓ ખૂબ સારી રીતે સારવાર મેળવે છે.

NABH Accreditation to SGVP Holistic Hospital - 2021

SGVP ની હોલિસ્ટિક હૉસ્પિટલના આયુર્વેદ વિભાગને NABH નું એક્રેડીટેશન પ્રાપ્ત થયું

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP અમદાવાદ દ્વારા સંચાલિત SGVP હોલિસ્ટિક હૉસ્પિટલમાં એલોપથી, આયુર્વેદ અને યોગનો સુભગ સંયોગ રચાયો છે. હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે એમની ઉત્તમ સારવાર થાય એ માટે ત્રણેય વિભાગના નિણાંતો દ્વારા યોગ્ય તપાસ થયા પછી સારવાર કરવામાં આવે છે.

Oxygen tank unveiling - 2021

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) સંસ્થા દ્વારા પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણા, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદ અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે શિક્ષણ, પર્યાવરણ તથા સમાજ ક્ષેત્રે અનેક સેવાકાર્યો થઈ રહ્યા છે.

આ સેવાકાર્યના નૂતન સોપાન તરીકે SGVP હોલિસ્ટિક હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તારીખ ૦૩ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હોસ્પિટલનું લોકાર્પણ કરીને આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.

Donation of Oxygen Concentrators - 2021

હાલ કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં SGVP ગુરુકુલ દ્વારા સંસ્થાના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી ‘SGVP ગુરુકુલ હોલિસ્ટિક હોસ્પિટલ’માં ખૂબ સારી રીતે દર્દીઓની સારવાર થઈ રહી છે.

ગુરુકુલનું નૈસર્ગિક તથા સાત્વિક વાતાવરણ, નિષ્ઠાવાન ડૉક્ટર્સ અને વૈદ્યોના પુરુષાર્થને કારણે કોરોના તથા અન્ય રોગોના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈને ખૂબ સંતોષ સાથે ઘરે પરત ફરે છે.

Covid Isolation Center – Surat, Kamrej - 2021

કોરોના મહારામારી સમગ્ર દેશ અને દુનિયાને દઝાડી રહી છે. ચારેબાજુ હાહાકાર મચ્યો છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ સેવાના અનેક કેન્દ્રો ખોલી લોકોની વહારે પણ આવ્યા છે.

ખાસ કરીને ગુજરાતમાં સુરત જેવા શહેરમાં કોરોના રોગચાળો ખૂબ વકર્યો છે. ત્યારે દર્દીઓને મદદરૂપ થવાના હેતુથી ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રયિદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુલ પરિવાર દ્વારા આ આઈસોલેશનનો પ્રારંભ કરાયો છે.

Ayurved Kit Distribution - 2021

હાલ સમસ્ત વિશ્વ, ભારત અને ગુજરાતમાં કોરોના મહામારીએ માજા મૂકી છે. અનેક લોકો આ બીમારીને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. ગામડાઓની સ્થિતિ પણ ખૂબ નાજુક છે.

ગામડામાં ન તો દવા કે દવાખાનાની યોગ્ય વ્યવસ્થા છે કે ન યોગ્ય માર્ગદર્શન મળે છે. જેને લીધે અનેક લોકોએ પોતાના જીવ ખોયા છે.

આભ ફાંટે ત્યારે થીંગડા કેમ મારવા ! પરંતુ નાસિપાસ થઈ જવાથી કોઈ રસ્તા મળે એમ નથી. ત્યારે આપણાથી બનતી લડાઈ લડતા રહેવું એ જ આ મહામારીને હરાવવાનો ઉપાય છે.

Pages