Katha

શ્રીમદ્‌ ભાગવત કથા – જૂનાગઢ - 2023

ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા ગુણાતીત સંત દ્વારા સોરઠની ધરતી ખૂબ પાવન થઈ છે. આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રાગટ્યભૂમિ જ ગરવા ગિરનારની ગોદ રહી છે. એમાં પણ જૂનાગઢ તો પુરાણું તીર્થ છે. અહીં સ્વયં શ્રીહરિએ સ્વહસ્તે રાધારમણદેવ, રણછોડ-ત્રિકમરાય, સિદ્ધેશ્વર મહાદેવ પધરાવી કલ્યાણનું સદાવ્રત ખોલ્યું છે. આવા પવિત્ર ધામને ૧૯૫ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે SGVP ગુરુકુલ પરિવાર દ્વારા ૧૯૫માં પાટોત્સવ નિમિત્તે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.

Satsang Gyansatra - Dallas - 2023

સત્સંગ જ્ઞાનસત્ર, ડલાસ

પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં અમેરીકા, ટેક્ષાસ ખાતે આવેલ ડલાસ સીટીમાં માર્ચ ૨૫ થી ૩૦, ૨૦૨૩ દરમ્યાન કથાનું આયોજન થયું.

Shreemad Bhagawat Katha Bolton, Cardiff – UK - 2022

શ્રીમદ્ ભાગવત કથા – બોલ્ટન યુકે 07- 11 June 2022

ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી યુ.કે. સત્સંગ વિચરણ દરમિયાન બોલ્ટન પધાર્યા હતા.

શ્રીમદ્ સત્સંગિજીવન કથા, ગઢપુર - 2022

Click Here for P. P. Sadguru Purani Shree Bhaktiprakashdasji Swami Aksharvas

તીર્થરાજ ગઢપુર ખાતે, શ્રી ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં, અક્ષર નિવાસી પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પાવન સ્મૃતિમાં તારીખ ૨ થી ૮ મે, ૨૦૨૨ દરમિયાન SGVP ગુરુકુલ પરિવાર દ્વારા શ્રીમદ્ સત્સંગિજીવન કથાપારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી ધર્મજીવન વ્યાખ્યાનમાળા – સુરત - 2022

SGVP ગુરુકુલ પરિવાર સુરત દ્વારા તારીખ ૨૮ ફેબ્રુઆરીથી ૨ માર્ચ દરમિયાન સુરત ખાતે આગામી ભાવ વંદના પર્વના ઉપક્રમે ‘શ્રી ધર્મજીવન વ્યાખ્યાનમાળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં અનેકવિધ આયોજનો થયા હતા.

Shreemad Bhagawat Katha – 2021

ગુરુકુળના વિકાસમાં જેમનો મુખ્ય ફાળો છે એવા ગાંધી પરિવારના મુંબઇવાસી અ.નિ. શ્રી યોગેશભાઇ ગાંધીની પવિત્ર સ્મૃતિમાં, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ મેમનગર ખાતે, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસપદે, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં, તા. ૭ થી ૧૩નવેમ્બર ૨૦૨૧ દરમ્યાન શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન થયું હતું.

Adhik Maas - 2018

Adhik Maas also known as Purushottam Maas bears much importance in Indian cultural tradition for devotional consequence. With the inspiration of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami Gurukul Parivar observed the Adhik Maas with Katha Parayan, Abhishek, Amrakutotsav & Mango-Distribution, Chandan-Shrungar, incessant Dhoon & Manta-Lekhan, Shree MahaVishnu Yag, Group MahaPooja and Rajopachar Pooja etc.

Shreemad Bhagawat Katha - Ambada

શ્રીમદ્ ભાગવત કથા – અંબાડા

ગીર-ગઢડા પાસેના અંબાડા ગામના આંગણે વાત્સલ્યમૂર્તિ પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીની પુણ્યસ્મૃતિમાં તા. ૧૮ થી ૨૪ એપ્રિલ, ૨૦૧૮ દરમ્યાન સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસપદે તથા લુંભાતા પરિવાર તેમજ કિડેચા પરિવારના પિતૃઓના મોક્ષાથે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું.

Pages