Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Janmashtami 2023

photo gallery

જન્માષ્ટમી મહોત્સવ, ગુરુકુલ અમદાવાદ 

પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ, મેમનગર ખાતે તા. ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ ભક્તિસભર જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.

શ્રી કૃષ્ણભક્તિના કીર્તનગાન સાથે કોઠારી શ્રી ધર્મનંદનદાસજી સ્વામીએ જન્મોત્સવનું મહત્ત્વ સમજાવ્યું હતું. પૂજય બાલકૃષ્ણદાસજી સ્વામીના મંગલ આશીર્વાદ સાથે મધ્ય રાત્રિએ પરણિયામાં બાલપ્રભુની પ્રાગટ્ય આરતી ઉતારવામાં આવી હતી અને મટકી ફોડ તથા રાસની રમજટ સાથે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

મંદિરમાં બાલપ્રભુ જુલાવતા પાંચ પાંચ હિંડોળાની સુંદરકલાત્મક રચના કરવામાં આવી હતી. હજારો હરિભક્તો અને ભાવિક ભક્તજનોએ જન્મોત્સવ અને હિંડોળા દર્શનનો લાભ લીધો હતો.

Achieved

Category

Tags