Shri Hanuman Jayanti - 2021
Posted by news on Tuesday, 27 April 2021ચૈત્ર સુદ પુનમ તા. ૨૭ એપ્રિલ ૨૦૨૧, હનુમાનજી મહારાજના જન્મદિન પર્વે SGVP ગુરુકુલ પરિસરમાં આવેલ હનુમાન ગઢી ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને અન્ય સંતોની ઉપસ્થિતિમાં હનુમાનજી મહારાજનું ષોડશોપચાર સાથે પૂજન કરી મારુતિ યજ્ઞ કર્યો હતો.
આ મારુતિ યજ્ઞમાં ઘી, તલ, સરસવ, આંકડો, પાયસ, વગેરે પંચદ્રવ્યોથી હનુમદ્ મંત્ર તથા હનુમાન માલા મંત્રથી અગ્નિનારાયણને ૧૦૮ આહુતિ આપવામાં આવી હતી. પૂજ્ય સ્વામીજીએ યજ્ઞાન્તે પૂર્ણાહૂતિની આરતિ ઉતારી હતી.