શ્રદ્ધાંજલિ : પૂજ્ય મહામંડલેશ્વર શ્રીહરિચરણદાસજી મહારાજ

સાધુસમાજના અગ્રણી અને સાધુગુણે સંપન્ન મહામંડલેશ્વર પૂજ્ય શ્રીહરિચરણદાસજી મહારાજની વિદાયથી સમસ્ત સાધુ સમાજ તથા ભક્તસમુદાય સ્તબ્ધ અને શોકમગ્ન છે.

ગોંડલના રામજી મંદિરના ગાદીપતિ ગુરૂદેવ 1008 પૂજ્ય હરિચરણદાસજી મહારાજ સમાજને ધર્મની સાચી પ્રેરણા 

આપનારા હતા. પૂજ્ય મહારાજશ્રીએ પોતાના જીવન દ્વારા સમાજ માટે એક આદર્શ સાધુનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહારાજશ્રીનું સમસ્ત જીવન પ્રેરણાદાયી હતું.

ભારતવર્ષના ઋષિતુલ્ય એક મહાન સંતની અણધારી વિદાયની ખોટને ક્યારેય પૂરી નહીં કરી શકાય.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP), અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, સંતમંડળ તથા સમસ્ત ગુરુકુલ પરિવાર મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી હરિચરણદાસજી મહારાજના પુણ્યાત્માને પુષ્પાજંલિ અર્પણ કરે છે.

ઉપરાંત તેમના શિષ્ય તથા સમસ્ત ભક્ત મંડળને ભગવાન ધીરજ આપે તેવી પ્રાર્થના કરે છે.

image: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.