August 2022

  • Janmashtami Mahotsav - 2022

    જન્માષ્ટમીની શુભ રાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ, મેમનગર ખાતે પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીના સાનિધ્યમાં જન્માષ્ટમીનો મહોત્સવ, કીર્તન અને રાસની રમઝટ સાથે ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો હતો.

  • Azadi No Amrut Mahotsav - 2022

    આપણો તિરંગો રાષ્ટ્રધ્વજ તો ભારતની આન, બાન અને શાન છે. જેમાં હજારો વીર નરનારીઓ, શહીદો, મહાપુરુષો અને સંત શક્તિની ગાથાઓ જોડાયેલ છે. આ રાષ્ટ્રધ્વજને એક એક તાંતણે કુરબાનીની કથાઓ લખાયેલ છે.

  • 46th Gyan Satra - 2022

    ગુરુકુલ સંસ્કૃતિના પુનરોદ્ધારક અને ભગવાન શ્રી સ્વામિનારાયણના સંદેશવાહક તરીકે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ગુરુકુલ દ્વારા શિબિરો, બ્રહ્મસત્રો, જ્ઞાનસત્રો, જપયજ્ઞો જેવાં વિવિધ આયોજનો દ્વારા અનેક જીવોને મોક્ષમાર્ગે વાળ્યા. ગુરુદેવનું આ કાર્ય આજે પણ સંપ્રદાય અને સમાજમાં આગવી ભાત પાડી રહ્યું છે.

  • સાંપ્રત મહિલા લેખન : રાષ્ટ્રીય સેમિનાર SGVP - 2022

    SGVP ગુરુકુલના સહયોગથી સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા તાજેતરમાં એક અત્યંત મહત્ત્વનો રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજવામાં આવ્યો. તા. 03 ઑગસ્ટ, ૨૦૨૨ રોજ SGVP ખાતે આયોજિત આ સેમિનારમાં સાંપ્રત મહિલા સર્જકોના લેખનના મહત્ત્વના આયામો રજૂ થયા.