Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Cleanliness Campaign, Gurukul Ahmedabad

સ્વચ્છતા અભિયાન, ગુરુકુલ અમદાવાદ

પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીની પ્રારણ અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP ગુરુકુલ પરિવાર તરફથી શહેરી વિસ્તાર તથા જૂનાગઢ અમરેલી વિસ્તારના ૧૦૮ ગામડાંઓમાં વિવિધ પ્રસંગોએ સંતો અને સ્વયંસેવકો દ્વારા સ્વચ્છતા અભિયાન દ્વારા સફાઈ અને સ્વચ્છતા પ્રત્યે લોક જાગૃતિના કાર્યક્રમોનું આયોજન થતું રહે છે.

આગામી ૦૨ ઑક્ટોબર, ૨૦૨૪ ગાંધી જયંતિના ઉપલક્ષ્યમાં, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી મેમનગર, અમદાવાદ દ્વારા તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ સંતો, વિદ્યાર્થીઓએ અને સ્વયંસેવકો દ્વારા ગુરુકુલ પાસેના સંપૂર્ણ ગુરુકુલ રોડ વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી.

સ્ટેન્ડિંગ કમિટી, કોર્પોરેશનના સભ્યશ્રીઓના સહયોગ સાથે પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, સંતો તેમજ ગુરુકુલ વિદ્યાલય મેમનગર, દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય અને એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા ગુરુકુલ પરિવારના સ્વયંસેવકોએ તમામ વિસ્તારમાં સફાઈ કરી કચરાનો યોગ્ય નિકાલ કર્યો હતો.

Achieved

Category

Tags