Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Dhoon & Gunanuwad Sabha, SGVP

ધૂન અને ગુણાનુવાદ સભા, SGVP

શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામ ઉપક્રમે, પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં, SGVP અમદાવાદ દ્વારા પરમ પૂજ્ય અખંડ ભગવત્પરાયણ શ્રી જોગી સ્વામીજીની ૧૩મી પુણ્યતિથી તથા પરમ પૂજ્ય સેવામૂર્તિ શ્રી કોઠારી સ્વામીજીની ૧૦મી પુણ્યતિથી પ્રસંગે પૂજન, અખંડ ધૂન, તથા ગુણાનુવાદ સભાનું આયોજન થયું હતું.

તા. ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૪

SGVP અમદાવાદ ખાતે સંતો, ભક્તો અને બહેનો દ્વારા નવ કલાક અખંડ ધૂન કરવામાં આવી હતી.

હૃદય કુટીર – પૂજ્ય જોગી સ્વામીજીના સ્મૃતિ સ્થાને સંતો ભક્તોએ પૂજન કર્યું હતું.

ગુણાનુવાદ સભામાં પરમ પૂજ્ય જોગી સ્વામીજીની પ્રતિમાનું પૂજન કરી પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પૂજ્ય ભક્તવત્સલદાસજી સ્વામીએ તેમના પરમ પૂજ્ય જોગી સ્વામીજી અને પરમ પૂજ્ય શ્રી કોઠારી સ્વામીજીના પવિત્ર જીવનના દિવ્ય પ્રસંગો વર્ણવ્યા હતા.

Achieved

Category

Tags