Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

ગુરૂકુલ દ્રોણેશ્વરમાં ભગવત્ પ્રસન્નતાર્થે ૨૫ કુંડી મહાવિષ્ણુયાગ નિમિત્તે ધ્વજારોપણ

શ્રી દ્રોણેશ્વર મહાદેવ તથા મારૂતિધામમાં બિરાજીત શ્રી કષ્ટભંજનદેવના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ – દ્રોણેશ્વરમાં સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની આગેવાની નીચે આગામી માર્ચ તા. ૧૦-૧૧-૧૨, ૨૦૧૭ દરમિયાન વિશ્વશાંતિ અને ભગવત્ પ્રસન્નતાર્થે શ્રીધરકુંડ સહીત ૨૫ કુંડી મહાવિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું છે.
તે અનુસંધાને પૂરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે શાસ્ત્રી શ્રી વિશાલભાઇ તેરૈયાના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ધ્વજારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યજમાન તરીકે શ્રી પુરૂષોત્તમભાઇ વાડદોરીયા, શ્રી પુરૂષોત્તમભાઇ ઠુમ્મર, શ્રી કનુભાઇ જસાણી તથા ગોવિંદભાઇ બારસીયા વગેરે પૂજનમાં જોડાયા હતા.

Achieved

Category

Tags