Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Pushpadolotsav – 2020

Photo Gallery

પુષ્પદોલોત્સવ – શ્રી નરનારાયણ દેવ પ્રાગટ્ય દિનની ઉજવણી ગુરુકુલ પરિવાર દ્વારા સવિશેષ ભક્તિભાવથી કરવામાં આવી હતી.  સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે નરનારાયણ દેવ જન્મોત્સવ અને ફુલદોલોત્સવ ઉજવાયો હતો.
સમસ્ત સભા ખંડ ફુલોથી શણગારવામાં આવ્યો હતો. ઠાકોરજીને ફુલના હિંડોળામાં ઝુલાવ્યા બાદ ષોડશોપચારથી પૂજન સાથે ઠાકોરજીને ૧૫૦૦ કિલો ફુલોની પાંખડીઓથી ઘનશ્યામ મહારાજનો મૂર્તિઢગ અભિષેક કરવામાં આવ્યો હતો.  મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓએ હોળી નૃત્ય કર્યું હતું.

વિદેશ સત્સંગ પ્રચારાર્થે  પધારેલ સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ફુલદોલનો મહિમા સમજાવતા જણાવ્યું હતું કે આજે નરનારાયણદેવનો પ્રાગટ્ય મહોત્સવ છે. નરનારાયણ દેવ તો ભરતખંડના રાજા છે. નરનારાયણ દેવ લોકોની સુખાકારી માટે બદ્રિકાશ્રમમાં અખંડ તપ કરે છે, તેમ આપણે પણ તપ કરવુ જોઇએ.
આજથી બસો વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢડા વગેરે અનેક સ્થળે ફુલદોલોત્સવ કર્યા છે. જ્યારે ભગવાન પોતે પીચકારી લઇ હરિભકતો અને સંતો ઉપર કેસુડાના રંગનો છંટકાવ કરતા હોય ત્યારે હજારો માણસોનો સમુદાય પ્રગટ ભગવાનના દિવ્ય સ્વરુપ અને લીલાનો આનંદ માણતા હોય એ અવસર અદભૂત હોય છે. શ્રીસ્વામિનારાયણ ભગવાન તો ઉત્સવિયા ભગવાન કહેવાય છે.  તેમણે ઉત્સવોને કલ્યાણનું સાધન બનાવ્યું છે.

પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢપુર, સાળંગપુર વડતાલ વગેરે સ્થળોએ કરેલા પુષ્પદોલોત્સવ પ્રસંગોની વાતો કરી હતી.
કેરોના વાયરસની મહામારીને કારણે દિવંગત ગયેલ આત્માઓ માટે અને કેરોનાનો ઉપદ્રવ ઓછો થાય તે માટે સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી.
ઉત્સવને અંતે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને હરિસ્વરુપદાસજી સ્વામીએ દર્શનાર્થી તમામ હરિભકતોને ફુલની પાંખડીઓથી વધાવ્યા હતા. ઉત્સવમાં પાણી કે કોઇ કલરનો ઉપયોગ કરાવમાં આવ્યો ન હતો ફકત ફુલોની પાંખડીઓનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Achieved

Category

Tags